વરસાદી મોસમનું સર્વગુણ સંપન્ન શાક એટલે કંકોડા (Momordica dioica)

"કંકોડા .." (Momordica dioica)
************************************
વરસાદી મોસમનું સર્વગુણ સંપન્ન શાક એટલે કંકોડા કે કંટોલા """ .....જો થોડા દિવસ તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં શક્તિનો સંચાર થઈ જાય છે. શરીર લોખંડી બની જાય છે.

આવકાર
કંકોડા

કંકોડાને આપણે કંટોલાં પણ કહીએ છીએ. કંકોડાનું શાક સફેદ કોઢ તથા ચામડી અને લોહી બગાડના ઘણા રોગોમાં હીતાવહ છે. .....આમાં વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી તો પાળવી જ જોઈએ. કંકોડાં કુષ્ઠ, ચામડીના રોગો, સફેદ ડાઘ, મોળ, અરુચી, શ્વાસ, ઉધરસ અને જ્વર મટાડે છે અને જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે.

 ....કંકોડાનો રસ ચોપડવાથી અને તેનું શાક ખાવાથી સફેદ કોઢનો રોગ મટે છે. એનાથી ચામડીના બધા જ રોગો, મોળ-ફીક આવવી, અરુચી, શ્વાસ-દમ, મધુપ્રમેહ, કફના રોગો, ઉધરસ તથા તાવ મટે છે. કંકોડીના પાનનો રસ સોજા પર લગાડવાથી સોજા ઉતરી જાય છે.

કંકોડા અથવા કંટોલા એક વેલ પ્રકારની વનસ્પતિ છે. તેનાં ફળ દેખાવમાં નાના કારેલા સમાન હોય છે, જેના પર નાના કાંટા જેવા તંતુઓ હોય છે.

કંકોડા મોટે ભાગે પહાડી ભૂપૃષ્ઠ ધરાવતી જમીન પર થાય છે. તે વરસાદી મોસમમાં ઊગતી અને ફળ આપતી વનસ્પતિ છે. કંકોડાની વેલ જે જંગલો-ઝાડીઓમાં પોતાની જાતે ઉગે છે અને ફેલાય છે. તેમાં નર અને માદા વેલ અલગ-અલગ હોય છે. તેનું શાક ખૂબ જ સારું અને સ્વાદિષ્ટ હોય છે. કુમળાં કંકોડાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે, જેને લોકો વધુ પસંદ કરે છે. ગરમ મસાલા અથવા લસણ સાથે કંકોડાનું શાક બનાવીને ખાવાથી વાયુ નથી થતો.

જમીનની નીચે કંકોડાના મૂળમાં અડધો ફૂટ લાંબી ગાંઠ હોય છે, જેનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. આ કંદ મધ સાથે અથવા ખાંડ સાથે ૧ થી ૫ ગ્રામની માત્રામાં ઔષધ તરીકે લેવાનો પ્રયોગ કરવામાં આવે છે. કંકોડાના કંદને વધુ માત્રામાં દવા તરીકે લેવાથી ઉલટી થઇ શકે છે.

ગર્ભવતી મહિલા ગર્ભાવસ્થા દરમિયાન તાજા કંટોલાનું સેવન કરે તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સની સંભાવના ઓછી થઈ જાય છે. શરીરમાં કોશિકાના વિકાસ માટે ગુણકારી ગણાય છે.

કંટોલામાં બિટા-કેરોટિન, અલ્ફા-કેરોટિન, લ્યુટેન તથા જેક્સેથિન્સ જેવા ફ્લેવોનોઈડ્સ સમાયેલા જોવા મળે છે. વધતી વયને અટકાવવા માટે તથા ત્વચા ઉપર પડતી કરચલીને અટકાવવા પણ કંટોલાનો આહારમાં પ્રમાણભાન સાથે ઉપયોગ હિતકારી ગણાય છે.

ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં હોય આથી વજન ઘટાડવામાં લાભદાયી અને અસરકારક છે. કંટોલામાં લ્યુટેન સહિત અન્ય કેટલાંક કૅન્સર વિરોધી સત્ત્વ સમાયેલાં જોવા મળે છે જે કૅન્સરથી બચાવે છે.

કંટોલામાં ઍન્ટિ-એલર્જિક, એનાલ્જેસિક ગુણ સમાયેલા જોવા મળે છે. આથી શરદી-તાવ કે ખાંસી જેવી બીમારીમાં ગુણકારી ગણાય છે. કબજિયાત કે અપચાની ફરિયાદ ધરાવતા લોકો માટે પણ ચોમાસામાં કંટોલાનું સેવન રામબાણ ઈલાજ માનવામાં આવે છે. 

વિટામિન એ આંખો માટે અતિ ગુણકારી ગણાય છે. આથી ચોમાસામાં કંટોલાનું સેવન કરવું હિતાવહ ગણાય છે. આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે.

પથરીની સમસ્યામાં કંટોલાના બીજનો પાઉડર બનાવીને એક ગ્લાસ દૂધમાં તેને ભેળવી દેવો. ગરમા ગરમ દૂધમાં ભેળવીને પીવાથી મૂત્રાશયમાં પથરીની સમસ્યા હોય તો તેમાંથી રાહત મળે છે.

કંટોલાના છોડમાં જ ઈન્સ્યુલિનની માત્રા સમાયેલી છે. જેમાં ફાઈબર તથા પાણીની માત્રા વધુ સમાયેલી હોય તેવો ખોરાક ડાયાબિટીસના દર્દી માટે શ્રેષ્ઠ ગણાય છે. કંટોલામાં ફાઈબર તથા પાણીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે.

કંટોલામાં મોમોરડીસિન તથા ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે જે બ્લડપ્રેશરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ ગણવામાં આવે છે.

નોંધ: આહારતજ્જ્ઞોના માનવા મુજબ શાકની કડાઈમાં જરૂર પ્રમાણે પાણી મૂકીને કે કડાઈ ઉપર પાણીની પ્લેટ ઢાંકીને શાક બનાવવાથી શાકભાજીમાં પ્રાકૃતિક પાણીની માત્રા અને પૌષ્ટિકતા જળવાઈ રહે છે. આથી શાકને ઢાંકીને થાળીમાં ઉપર પાણી રાખીને ચેડવવું વધુ ગુણકારી ગણાય છે.

લોકોની સુખાકારી માટે આ પોસ્ટ આપના દરેક કોન્ટેક્ટમાં નીચે આપેલ શેર બટનથી શેર જરૂર કરશો.

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post