રિટાયરમેન્ટ (Retirement)

રિટાયરમેન્ટ .." - Retirement
*********************************
એક ઘરડા માણસને તેના જીવનમાં ઘણા અફસોસ થયા હતા. તે મનોમન વિચારી રહ્યો હતો કે હવે પહેલા જેવો જમાનો નથી રહ્યો કે પાછળના જન્મનું કરજ તમે આગળના જન્મમાં ચૂકવો. હવે આ આધુનિક યુગમાં બધું જાણે હાથોહાથ થઈ ગયું હોય તેવું લાગે છે.

AVAKARNEWS
રિટાયરમેન્ટ - Retirement

તેણે ઘણી વસ્તુ ટાંકી હતી જે આજના જમાનાને અનુરૂપ બંધ બેસે છે. ચાલો જાણીએ તેને શું કહ્યું હતું. અને જો તમારી ઉંમર 50 થી વધુ હોય તો આ લેખ તમારા આવનારા જીવન માટે ખૂબ જ મહત્વનો છે."""

❏ તમારા પોતાના કે પછી સ્થાયી રહો જેથી સ્વતંત્ર જીવન જીવવાનો આનંદ લઈ શકો.

❏ તમારું જેટલું પણ બેંક બેલેન્સ હોય તે મને તમારી ભૌતિક સંપત્તિ તમારી પાસે રાખો. વધારે પડતા પ્રેમમાં પડીને તમારી સંપત્તિ તમારું બેલેન્સ કોઈના નામે કરવાનું વિચારતા પણ નહીં.

❏ પોતાના બાળકો એ કરેલા તમને વાયદા પર નિર્ભર ન રહો કે તેઓ તમારી વૃદ્ધાવસ્થામાં સેવા કરશે. કારણકે સમય બદલવાની સાથે સાથે તેની પ્રાથમિકતા પણ બદલી જાય છે અને ક્યારેક ક્યારેક ઈચ્છા હોવા છતાં તે લોકો કંઈ કરી શકતા નથી.

❏ એવા લોકોને તમારા મિત્ર મંડળમાં સામેલ રાખવો જે તમને તમારા જીવનમાં પ્રસન્ન જોવા માંગતા હોય, એટલે કે એવા મિત્રો તમારા મિત્ર મંડળ માં રાખો જે તમારા સાચા હિતેચ્છુ હોય.

❏ કોઈની સાથે તમારી ગણના ન કરવી. અને ન તો કોઈની પાસે આશા રાખવી.

❏ પોતાના સંતાનોના જીવનમાં ક્યારેય દખલઅંદાજી ન કરો, તેઓને પોતાની રીતે પોતાનું જીવન જીવવા દો અને તમે તમારી રીતે તમારું જીવન વ્યતિત કરો.

❏ તમે તમારી વૃદ્ધાવસ્થા ને આધાર બનાવીને કોઈની પાસે સેવા કરાવવાનો કે તેનું સન્માન પામવાનો પ્રયાસ ક્યારેય ન કરવો.

❏ લોકોની વાતો સાંભળો, ધ્યાનથી સાંભળો પરંતુ અંતે તો તમારા સ્વતંત્ર વિચારોના આધારે જ નિર્ણય લેવો.

❏ ભગવાનને પ્રાર્થના કરો પરંતુ ભગવાન પાસે ભીખ ના માંગો, કારણકે ભગવાન પાસેથી માંગવું જ હોય તો તમે માફી પણ માંગી શકો અથવા હિંમત પણ માંગી શકો.

❏ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન તમારે પોતાને જ રાખવું, તમારા ખોરાકનું તમારા ડાયેટનું વગેરે બધાનું ધ્યાન તેમજ તમારા આર્થિક સામર્થ્ય અનુસાર સારું અને પૌષ્ટિક ભોજન લેવાનું રાખો. આ સિવાય બને ત્યાં સુધી જે કામ તમારાથી હાથે થી થઈ શકતું હોય તે બીજા પર છોડો. નાના કષ્ટ પર ધ્યાન ન આપો કારણ કે ઉંમરની સાથે સાથે નાની મોટી શારીરિક સમસ્યાઓ થતી રહે છે.

❏ પોતાના જીવનને હંમેશા ઉત્સાહપૂર્વક જીવવાનો પ્રયત્ન કરવો, હંમેશા પોતે પણ પ્રસન્ન રહેવું અને બને ત્યાં સુધી પ્રયત્ન કરવો કે આપણાથી બીજા પણ પ્રસન્ન રહે.

❏ દર વર્ષે નાની એવી યાત્રા એક અથવા વધુ વખત કરવી જોઈએ આનાથી તમારા જીવન જીવવાનો નજરીયો પણ બદલી શકે છે.

❏ કોઈ નાનીમોટી વાતમાં જો તકરાર થઈ જતી હોય તો તેને ઈગ્નોર કરવી અને તમારું જીવન તમારે સ્ટ્રેસ ફ્રી રહીને જીવવાનો પ્રયત્ન કરવો.

❏ તમે જાણતા જ હશો કે જીવનમાં કોઇપણ વસ્તુ સ્થાયી નથી, એટલે કે તમારી પાસે સમસ્યાઓ હોય તો સમજ્યા પણ રહેતી નથી, ચિંતાઓ પણ જતી રહે છે આ વાત ઉપર કાયમ વિશ્વાસ રાખો.

❏ પોતાના સામાજિક દાયિત્વ જવાબદારીઓ નો બોજ તમારા રિટાયરમેન્ટ સુધીમાં પૂરો કરી લેવો અને જીવનમાં હંમેશા યાદ રાખવું કે જ્યારથી તમે પોતાના માટે જીવવાનું શરૂ નહીં કરો ત્યાં સુધી હકીકતમાં તમે જીવન જીવવાનો આનંદ નહીં માણી શકો.

– અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post