# પર્યાવરણ પ્રેમી .."
********************** ફાલ્ગુની વસાવડા"
પરસોત્તમ ભાઈ એ એવું કયું કાર્ય કર્યું, જેમાં રુપિયા પૈસાની જરૂર નહોતી?
પરસોત્તમ ભાઈ એ એવું કયું કાર્ય કર્યું, જેમાં રુપિયા પૈસાની જરૂર નહોતી?
પર્યાવરણ પ્રેમી
કાળા કોપ ની ગરમી પડે છે અને આજે તો પાછો મેસેજ આવ્યો કે 29 મેં થી 20 જૂન સુધી હાઈ એલર્ટ છે, અને ગરમી 55 સેં ની અંક પાર કરી શકે છે. આપણે ઘણીવાર ચિંતનમાં વાત કરી છે કે પ્રદૂષણ વધતું જાય, એમ એમ કુદરતી કોપ પણ વધતો જાય છે!
આપણે સૌ તો આવા બૂમબરાડા પાડીને કે મેસેજ ફોરવર્ડ કરીને આપણે કંઈક કર્યું એવો સંતોષ માની લેતા હોઈએ છીએ, પણ હકીકતમાં વૃક્ષો ઘટી જવાથી વરસાદ ઓછો અથવા કમોસમી થાય છે, અને બીજુ ઓક્સિજનનું લેવલ ઘટતું જાય છે !
વાતાવરણમા કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ વાયુનું પ્રમાણ વધી ગયું છે, આ ઉપરાંત કેમિકલ ફેક્ટરી ના વેસ્ટેજ અને પેટ્રોલ ડિઝલના બેફામ ઉપયોગને કારણે વાતાવરણમાં ઝેરીલા વાયુઓ વધતા જ જાય છે. દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજીને જો થોડું થોડું વૃક્ષારોપણ કરે તો આપણી ઘણી સમસ્યા ઓછી થઈ જાય.
ઘણીવાર આપણને એવું લાગે કે આપણે ઘણું કરવું છે પણ આપણી પાસે રુપિયા નથી. સેવા કરવા માટે રૂપિયા પૈસાની જરૂર હોતી જ નથી, માત્રને માત્ર કોઈ સંકલ્પ હોવો જોઈએ, અને તે સંકલ્પ પૂરો કરવા માટેની લગન હોવી જોઇએ. પરંતુ એવા કેટલાય કામ છે, જેમાં એક પણ રૂપિયા પૈસાની જરૂર પડતી નથી દાખલા તરીકે પર્યાવરણની સુરક્ષા અને શુદ્ધતા માટેનો પ્રયોગ દરેક વ્યક્તિ કરી શકે. પરંતુ એ આપણાથી થતું નથી. આજે આપણે એવા એક અનોખાં પર્યાવરણ પ્રેમીની વાત કરીશું.
પરસોત્તમભાઈ ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ વાળા માણસ હતા, પરંતુ રૂપિયા એટલાંહતાં નહીં. થોડા ઢોરઢાંખર હતાં અને એમાંથી દૂધ વેચી જે રૂપિયા મળે એમાંથી ગુજરાન ચલાવતાં હતાં ઢોરને સીમમાં ચરાવવા જાય ત્યારે તેમને રોજ વિચાર આવે કે ઈશ્વરે જો આ પાક સાથે ઉગતું નીંદામણનું લીલું ઘાસ ઉગાડયું ન હોત તો આ બધા ઢોરઢાંખર શું ખાત? નદી નાળા માટે પાણી વરસાવ્યું નહોત તો? આમ રોજ ઈશ્વરનો પાડ માનતાં. એક દિવસ ઢોર ચરતા મૂકી તે એક ઝાડ નીચે આરામ કરવા બેઠા અને વિચાર આવ્યો કે સીમમાં કેટલો કચરો પડ્યો હોય છે, કંઈ નહીં તો એ પણ ભેગો કરી શકું!! અને આ વાત તેને ગમી.
ઘણીવાર આપણને એવું લાગે કે આપણે ઘણું કરવું છે પણ આપણી પાસે રુપિયા નથી. સેવા કરવા માટે રૂપિયા પૈસાની જરૂર હોતી જ નથી, માત્રને માત્ર કોઈ સંકલ્પ હોવો જોઈએ, અને તે સંકલ્પ પૂરો કરવા માટેની લગન હોવી જોઇએ. પરંતુ એવા કેટલાય કામ છે, જેમાં એક પણ રૂપિયા પૈસાની જરૂર પડતી નથી દાખલા તરીકે પર્યાવરણની સુરક્ષા અને શુદ્ધતા માટેનો પ્રયોગ દરેક વ્યક્તિ કરી શકે. પરંતુ એ આપણાથી થતું નથી. આજે આપણે એવા એક અનોખાં પર્યાવરણ પ્રેમીની વાત કરીશું.
પરસોત્તમભાઈ ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ વાળા માણસ હતા, પરંતુ રૂપિયા એટલાંહતાં નહીં. થોડા ઢોરઢાંખર હતાં અને એમાંથી દૂધ વેચી જે રૂપિયા મળે એમાંથી ગુજરાન ચલાવતાં હતાં ઢોરને સીમમાં ચરાવવા જાય ત્યારે તેમને રોજ વિચાર આવે કે ઈશ્વરે જો આ પાક સાથે ઉગતું નીંદામણનું લીલું ઘાસ ઉગાડયું ન હોત તો આ બધા ઢોરઢાંખર શું ખાત? નદી નાળા માટે પાણી વરસાવ્યું નહોત તો? આમ રોજ ઈશ્વરનો પાડ માનતાં. એક દિવસ ઢોર ચરતા મૂકી તે એક ઝાડ નીચે આરામ કરવા બેઠા અને વિચાર આવ્યો કે સીમમાં કેટલો કચરો પડ્યો હોય છે, કંઈ નહીં તો એ પણ ભેગો કરી શકું!! અને આ વાત તેને ગમી.
પછી તો રોજ ગાયોને ચરાવવા નીકળે ત્યારે રસ્તામાંથી કાંટા અને બીજો અન્ય કચરો ભેગો કરે, પ્લાસ્ટિકની કોથળીઓ, સડી ગયેલી બોટલો, ઝાડ ઝાંખરા, કાંટા, હાઈવે પરથી પસાર થતી ગાડી વાળા કોઈ એ નાસ્તો કરી ફેંકી દીધેલા ડબાડુબલી, પવનના ઊડી ઊડીને આવતા બીજા કચરા,સ્કૂટર સાયકલના ટાયર આવા તો કેટલીય પ્રકારના કચરાથી સીમ ભરેલી પડી હતી, એ બધું એ રોજ ધીરે ધીરે સાફ કરતા ગયા. પછી તેની નજર કચરો સાફ થતાં ખુલ્લી પડેલી જમીન થઈ ગઈ, અને ત્યાં તેમણે વટેમાર્ગુને છાંયો મળી રહે તેવા વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનું શરૂ કર્યું. રોજ ઢોરઢાંખર ચરતા હોય ત્યારે, પોતે નાળામાંથી પાણી ભરી ભરીને આ બધા વૃક્ષોને પાણી સીંચતા, તેમજ ઢોરઢાંખરે મળ ત્યાગ કર્યો હોય તે ખાતર રૂપે નાંખતા અને વૃક્ષની વૃદ્ધિ થતી.
એમના પત્ની પ્રવીણાબેન પણ તેમનો ટેકો કરતાં, તેઓએ વિચાર્યું કે ગાય જે દૂધ આપે છે, એમાંથી ગામના એકાદ બે છોકરાઓ ને મફત દૂધ આપી શકાય! તપાસ કરતા એવા બે ચાર નીકળ્યા. ધીરે ધીરે કરતા પાંચ છોકરાઓને 500, 500 ગ્રામ એટલે રોજનું અઢી લિટર દૂધ મફત આપવાનું શરૂ થયું. ચાર ગાય, એક ભેંસ, પાંચ બકરી એટલા જ ઢોર હતાં, એટલે આનાથી વધુ થઈ શકે તેમ ન હતું. પરંતુ એકવાર શહેરમાં ગયા તો નર્સરી જોઈ એટલે તેને થયું કે આ ધંધો થઈ શકે, પોતે જ વાવેલા વ્રુક્ષોનાં છાયામાં સીમમાં ઉગતા છોડના બીજ વાવીને નાના-નાના છોડવાઓની કોથળી તૈયાર કરતાં, ગુલમોર ગરમાળો, આંબો, લીમડો, ખાખરો, આસોપાલવ, દાડમ, જમરૂખ, સીતાફળ, લીંબુ, ઉપરાંત અરીઠાં, આંબળા, શિકાકાઈ, એવા તો કઈ કેટલાય છોડ રસ્તે નીકળતાં ગાડીવાળા ખરીદતાં, અને એમાંથી જે કંઈ પૈસા આવે તે સેવા દાનમાં વપરાય. કોઈ કોઈ ઘરમાં દસ કિલો અનાજ, કાચી ખીચડી, ખાંડ એવું ભરવામાં આવે, તો કોઈ વાર કોઈને દવાનાં પૈસા આપવામાં આવે, અને કોઈ વાર કોઈ બહેન દીકરીનાં લગ્ન થતાં હોય ત્યાં બેચર જોડ સાડી પણ આપવામાં આવે,અને ગામનો કોઈ વિદ્યાર્થી રૂપિયા ના અભાવે ભણવાનું મૂકી દે, તો એને ચોપડા પણ આપે,
એમના પત્ની પ્રવીણાબેન પણ તેમનો ટેકો કરતાં, તેઓએ વિચાર્યું કે ગાય જે દૂધ આપે છે, એમાંથી ગામના એકાદ બે છોકરાઓ ને મફત દૂધ આપી શકાય! તપાસ કરતા એવા બે ચાર નીકળ્યા. ધીરે ધીરે કરતા પાંચ છોકરાઓને 500, 500 ગ્રામ એટલે રોજનું અઢી લિટર દૂધ મફત આપવાનું શરૂ થયું. ચાર ગાય, એક ભેંસ, પાંચ બકરી એટલા જ ઢોર હતાં, એટલે આનાથી વધુ થઈ શકે તેમ ન હતું. પરંતુ એકવાર શહેરમાં ગયા તો નર્સરી જોઈ એટલે તેને થયું કે આ ધંધો થઈ શકે, પોતે જ વાવેલા વ્રુક્ષોનાં છાયામાં સીમમાં ઉગતા છોડના બીજ વાવીને નાના-નાના છોડવાઓની કોથળી તૈયાર કરતાં, ગુલમોર ગરમાળો, આંબો, લીમડો, ખાખરો, આસોપાલવ, દાડમ, જમરૂખ, સીતાફળ, લીંબુ, ઉપરાંત અરીઠાં, આંબળા, શિકાકાઈ, એવા તો કઈ કેટલાય છોડ રસ્તે નીકળતાં ગાડીવાળા ખરીદતાં, અને એમાંથી જે કંઈ પૈસા આવે તે સેવા દાનમાં વપરાય. કોઈ કોઈ ઘરમાં દસ કિલો અનાજ, કાચી ખીચડી, ખાંડ એવું ભરવામાં આવે, તો કોઈ વાર કોઈને દવાનાં પૈસા આપવામાં આવે, અને કોઈ વાર કોઈ બહેન દીકરીનાં લગ્ન થતાં હોય ત્યાં બેચર જોડ સાડી પણ આપવામાં આવે,અને ગામનો કોઈ વિદ્યાર્થી રૂપિયા ના અભાવે ભણવાનું મૂકી દે, તો એને ચોપડા પણ આપે,
આમ આ રીતે કંઈક થતું રહેતું, અને એનાથી પતિ-પત્ની બંનેને કંઈક કર્યાનો સંતોષ રહેતો. એકવાર રોજના નિયમ પ્રમાણે સીમ માંથી કચરો ઉપાડી અને હાઇવે પરના ઝાડ પર નાના નાના આઠ-દસ છોડ લઈને પરષોત્તમભાઈ વેચવા માટે બેઠા હતાં. કામ કામને શિખવે એ રીતે હવે પરસોત્તમભાઈ કલમી છોડ પણ બનાવતા હતાં, એટલે કે નાના નાના વૃક્ષોમાં પણ ફળ આવી શકે એવા છોડ તૈયાર કરતા હતાં.
આજે ક્યાંથી એક મોટી ઈનોવા ગાડીમાંથી એક શેઠ ઉતર્યા, અને તેમણે એક હજાર રૂપિયા આપી દસેદસ છોડ ખરીદી લીધાં. ગાડી આગળ ચાલી ગઈ ત્યારે પરસોત્તમભાઈનું ધ્યાન પડ્યું કે શેઠ તેનો પોર્ટફોલિયો ભૂલી ગયા છે હવે શું કરશે? એમણે નક્કી કર્યું કે શેઠ ઘરે પહોંચી અને પોર્ટફોલિયોની શોધ કરશે, નહીં મળે એટલે પાછા લેવા આવશે આ એક જ રસ્તો હતો. કારણ કે કોઈ એ એકબીજાનું ઘર જોયું ન હતું. એટલે અહીં બેઠા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. સંધ્યા ટાણું થયું, રાત થઈ પણ પરષોત્તમભાઈ ત્યાંથી ઊભા થયા નહીં. રાતના દસ વાગ્યા, હવે શું કરું! હવે શું કરું! એમ વિચારતા હતા ત્યાં જ શેઠની ગાડી આવીને ઉભી રહી. શેઠ કંઈ બોલે કે પૂછે એ પહેલા જ પરસોત્તમભાઈ તેમને તેનો પોર્ટફોલિયો પાછો આપતાં બોલ્યાં લો શેઠ તમારી અમાનત એટલે હું છૂટો થાઉં! શેઠ ખુશખુશાલ થઈ ગયાં, કારણકે ગામની જમીનનો બહુ મોટો સોદો કરીને પાછા ફર્યા હતાં, એટલે બહુ બધા રુપિયા તેમાં હતાં. એના મનમાં તો એમ હતું કે, એ માણસ સારો ન હોય તો પોર્ટફોલિયો ન પણ આપે! અને એવું કંઈ ન હોય તોય એને ક્યાં શોધવો, એ સૌથી મોટો પ્રશ્ન હતો. પરંતુ પરસોત્તમભાઈ તો અત્યાર સુધી ત્યાં જ બેઠા હતાં. શેઠે રાજી થઈને તેમને ઇનામ આપ્યું એટલે પરષોત્તમભાઈ એ ના પાડી અને કહ્યું કે ઈશ્વરે બે વખતના રોટલા નીકળી રહે એટલું આપ્યું છે, ખરેખર જો કંઈ કરવાં માંગતા હો તો, આવી બંજર જમીનમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવી શકાય, આપને તો સમય ન પણ હોય પણ ગમે તે રીતે કંઈક આવું કાર્ય થાય તો સારું!! શેઠે શહેરની બહાર એક નાનો એવો ટુકડો જમીનનો ખરીદી અને પુરુષોત્તમભાઈ ને આપ્યો, અને કહ્યું કે લ્યો હવે તમારી મંઝિલ તમને મુબારક, આ જમીનમાં નાના નાના છોડ ઉછેરી અને જ્યાં તમને ઈચ્છા થાય ત્યાં તેની વાવણી કરજો. આજે તો પરસોત્તમભાઈ એક નાની એવી નર્સરીના માલિક થઈ ગયા છે, પણ તેમનું કાર્ય તે હજી ચૂક્યા નથી, એટલે કે નર્સરીમાં વેચાયેલા છોડના રૂપિયામાંથી ગામના જરૂરીયાત મંદોને મદદ કરવી અને બંજર જમીનમાં વૃક્ષારોપણ કરવું એ તેમના જીવનનું જાણે મુખ્ય કાર્ય હોય તેમ રોજ સવારે એ જ ઉત્સાહથી પતિ-પત્ની બંને આ કાર્ય આજે પણ ધગશ પૂર્વક કરે છે.
પરસોત્તમભાઈ જેવા લોકો સમાજમાં છે. એના થકી જ આપણે શ્વાસ માટે આટલો શુદ્ધ ઓક્સિજન મેળવી શકીએ છીએ. આ ઉપરાંત તેમના ઉમદા સ્વભાવને કારણે ગામના કેટલાય લોકોના વ્યવહારો સચવાઈ ગયા, કેટલીયે કન્યાના કન્યા દાન થયાં, સંવેદનાની ધારા આ રીતે ક્યાંક ક્યાંક સતત વહેતી રહે છે, અને એને કારણે જ આપણો સમાજ અડીખમ ઉભો છે.
🖊️ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
પરસોત્તમભાઈ જેવા લોકો સમાજમાં છે. એના થકી જ આપણે શ્વાસ માટે આટલો શુદ્ધ ઓક્સિજન મેળવી શકીએ છીએ. આ ઉપરાંત તેમના ઉમદા સ્વભાવને કારણે ગામના કેટલાય લોકોના વ્યવહારો સચવાઈ ગયા, કેટલીયે કન્યાના કન્યા દાન થયાં, સંવેદનાની ધારા આ રીતે ક્યાંક ક્યાંક સતત વહેતી રહે છે, અને એને કારણે જ આપણો સમાજ અડીખમ ઉભો છે.
🖊️ફાલ્ગુની વસાવડા (ભાવનગર)