લેણદેણની ભરપાઈ (Compensation)

લેણદેણની ભરપાઈ .."
***************** અનિલ પંડ્યા
રાપર તાલુકા નું ગાગોદર ગામ વાગડ માં બહું જાણીતું નામ, અન્ય સમાજના લોકો પણ છે પણ એમાં સૌથી વધું ભાનુશાલી સમાજના લોકો વસી રહ્યા છે ....આ સમાજ દાનવીર છે અને ઉધમી પણ એટલા જ, એમના સહયોગથી બાબુભાઈ મેઘજીભાઈ શાહ ના અથાગ પ્રયત્નથી અહી સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલે છે, આજુબાજુ ના અનેક ગામ આ સેવાનો લાભ લઇ રહયા છે.

AVAKARNEWS
લેણદેણની ભરપાઈ

એ આરોગ્ય કેન્દ્ર માં એક ચંદ્રીકાબેન મીડવાઈફની નોકરી કરે એમનું હુલામણું નામ ચંદુબેન. ...આ ખરેખર સેવા ની મુર્તી હતાં, ખાલી ડીલવરી નહી પણ તાવ, શરદી માટે લોકો ચંદુબેન પાસે દવા લેવા આવે, એ પણ એટલા માયાળુ કે, અડધો રોગ એમની વાણી થી સારો થઈ જાય.

શિક્ષણ તો આ પંથક માં સાવ ઓછુ, જુવાન દીકરીઓ પણ અંગત તકલીફો ચંદુબેન ને કહે, એ સાચી સલાહ આપે, ...આખું ગામ એમને ચાહે એમને પણ ગામ પ્રત્યેની ચાહના અનેરી હતી,  એમનો સેવાભાવી સ્વભાવ અને હસતો ચહેરો ભલ ભલાને શાંતિ આપતો.

એક દિવસ માં ત્રણ ત્રણ ડીલવરી કરાવે, કયારેક તો અડધી રાત્રે ક્વાટર માં આવે, આખા દિવસનો થાક લાગ્યો હોય છતાં કોઈ દરવાજો ખખડાવે તો એજ હસતા મુખે ખોલે, દરદીને જોઈ એમનું મુખ હંમેશા મલકતું રહેતું, ...જાણે એમના પાસે ભગવાન આવ્યા હોય.

એમની સેવા ભાવના અને કામની ધગશ જોઈ ઘણીવાર મેડિકલ ઓફિસર કહે પણ ખરા " બહેન તમારી ઉર્જા નું રહસ્ય કયુ,,,!!?

ત્યારે હસતાં હસતાં કહે" સાહેબ જયારે દર્દી અને બહેનો એમનું દુઃખ ભુલી હસે છે ......એજ મારી ઉર્જા નું રહસ્ય !!

એકવાર અચાનક હું એમના ક્વાર્ટરમાં ગયો ત્યારે એ રડી રહ્યા હતાં, મેં એમને રડવાનું કારણ પુછ્યું, પણ એ મૌન રહયા, પણ .....આંખ માં આંસુ હજુ ટપકતાં હતાં.!

મે હળવેથી કહ્યુ " ચંદુબેન પાણી પી લો" એમણે પાણી પીધું, હવે કહો તમારે વળી અહી શું દુઃખ છે, અહીંનો માહોલ જોતા અમને કદી એવું લાગ્યું નથી કે આપને કંઈ દુઃખ હોય શકે, ...બોલો આપ સાચું કહેશો આપ શા માટે રડતાં હતાં,,,?

એમને એક નજર મારા નાંખી પછી ધીમે થી કહ્યું " આજે રક્ષાબંધન છે, મારે ભાઈ નથી,"" આથી હું ....

ઓહ્ " મેં કહ્યું બસ આટલું દુઃખ..!! લ્યો આજથી હું તમારો ભાઈ છું. "

ત્યાં તો હરખની હેલી ચડી, અને એ પોતાના રૂમમાં દોડી ગયા તિજોરી માંથી રક્ષા કાઢી મને બાંધી દીધી," જુગ જુગ જીવો ભાઈ,"

પછી તો ગાગોદર રહ્યો ત્યાં સુધી એ રક્ષાબંધનના દિવસે આવે, મારા ઘેર જમે અડધો દિવસ રોકાય અને મારી પત્ની ને પણ એની મીઠી વાણી થી ભીજવી દે અને જયારે જાય ત્યારે જાણે સગી બહેન સાસરે જતી હોય એમ રડી પડે .."

મારા પરિવારની બબ્બે ડીલવરી એમણે કરી અને એક બહેન કરતાં પણ અધીક સેવા કરી ...આજે જયારે સ્મરણ માં આવે છે ત્યારે લાગે છે કે નક્કી ગયા જન્મ માં મારી બહેન હશે."

ખેર આખરે મારી જિલ્લા ફેર બદલી થયી પણ આજેય એ બહેન તરીકે ની ફરજ બજાવે છે, રુબરુ નથી મળતા પણ ફોન થી જરુર મારી ખબર લે છે.

ખબર નહી કુદરત ક્યાંક આપણ ને અચાનક મુલાકાત કરાવી ગયા જન્મના વિખુટા આત્મા ને મેળવી "લેણદેણની ભરપાઈ" પૂરી કરાવે છે. .!!
                 ___🖊️– અનિલ પંડ્યા પાટણ 

ભલે આપણે અજાણ હોઈએ પણ સારા કાર્યોની નોંધ લેવાતી જ હોય છે. ...ભલે કોઈવાર માનવી ના લે તો ભગવાન તો લેતા જ હોય છે આથી જ આપણાં સાથે સારા સંજોગો બનતા હોય છે, આથી સારા કાર્યો કરતા રહેવું જોઈએ.""

"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!! 

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺

Post a Comment

Previous Post Next Post