"ભૂખ્યા ના ભેરુ"
****************** શરદ મણિયાર
વસંતલાલ આજે પણ દુકાન ને વ્હેલી વધાવી ને ઘર ભેગા થઈ ગયા હતા. તેમની ધર્મપત્ની સરલાબેન જાણતા હતા કે છેલ્લા સાત મહિનાના lockdown પછી દુકાન ઉઘાડી તો શકાઈ હતી પણ પહેલાં જેવી ઘરાકી રહી ન હતી.
વસંતલાલ આજે પણ દુકાન ને વ્હેલી વધાવી ને ઘર ભેગા થઈ ગયા હતા. તેમની ધર્મપત્ની સરલાબેન જાણતા હતા કે છેલ્લા સાત મહિનાના lockdown પછી દુકાન ઉઘાડી તો શકાઈ હતી પણ પહેલાં જેવી ઘરાકી રહી ન હતી.
ભૂખ્યા ના ભેરુ
દુકાન નું ભાડું, માણસોના પગાર, અને ઘરખર્ચ નો તમામ દારોમદાર દુકાન પર જ હતો જે વસંતલાલે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ મેળવેલી જમા પૂંજી લગાડીને ખૂબ હોંશે હોંશે શરૂ કરી પોતાની વૃધ્ધાવસ્થા ને માનભેર માણવાની જીજીવિષા વધુ પ્રબળ બનાવી હતી,
પણ lockdown નો પ્રભાવ અને કોરોના ના હાઉ થકી લોકો હજુ સામાન્યપણે ઘરની બહાર નીકળતા ખચકાતા હતા, જેની સીધી અસર લગભગ બધા વેપાર ધંધા ઉપર પડી રહી હતી તો વસંતલાલ ની આ "તૈયાર કપડા" ની દુકાન બાકાત કઈ રીતે રહી શકતી હતી અને એટલે જ સરલાબેને એમને ઘરે વહેલા આવી જવા વિશે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં અને એમની જમવાની તૈયારી કરવા લાગ્યા,
પણ રોજ કરતા આજે વસંતલાલ ના ચહેરા પર ઉપસી આવેલી ચિંતાની રેખાઓ જોઈને તેઓ વધુ ચિંતિત થઈ એટલે એમનાં થી પુછાઈ જવાયું, "કહું છું, કેમ તમે આજે આમ વધારે ગંભીર જણાવછો? શું વાત છે? તબિયતતો સારી છે ને તમારી"?
"હા, હા સરલા તન ની તબિયત તો સારી છે પણ મનની તબિયત વણસી રહી છે આજે"
ખૂબ જ નિરસતા ભર્યા સ્વરે એમણે જવાબ વાળ્યો."અરે એવું કેમ બોલો છો તમે? શું થયું?" સરલાબેન થી નહીં રહેવાયું."બસ કંઈ નહીં સરલા, જવાદે બધી વાત. ચાલ પહેલાં આપણું જમવાનું પતાવી લઈએ, તારી કામવાળી બાઈનો પણ આવવાનો સમય થઈ રહ્યો છે."
એમ કહીને વસંતલાલે પોતાનો બચાવ કર્યો અને કંઇક પણ કહેવાનું ટાળી ગયા. તેમ છતાં પોતાની મનોવ્યથા ને તેઓ ખાળી નહીં શક્યા. રાત આખી અજંપાના અર્ધ-ઉજાગરા માં વીતાવી બીજે દિવસે સવારે રોજીંદા સમય મુજબ ઊઠ્યા અને પોતાના નિત્ય કાર્યો પતાવી નાસ્તાના ટેબલ ઉપર બેઠા.
"હા, હા સરલા તન ની તબિયત તો સારી છે પણ મનની તબિયત વણસી રહી છે આજે"
ખૂબ જ નિરસતા ભર્યા સ્વરે એમણે જવાબ વાળ્યો."અરે એવું કેમ બોલો છો તમે? શું થયું?" સરલાબેન થી નહીં રહેવાયું."બસ કંઈ નહીં સરલા, જવાદે બધી વાત. ચાલ પહેલાં આપણું જમવાનું પતાવી લઈએ, તારી કામવાળી બાઈનો પણ આવવાનો સમય થઈ રહ્યો છે."
એમ કહીને વસંતલાલે પોતાનો બચાવ કર્યો અને કંઇક પણ કહેવાનું ટાળી ગયા. તેમ છતાં પોતાની મનોવ્યથા ને તેઓ ખાળી નહીં શક્યા. રાત આખી અજંપાના અર્ધ-ઉજાગરા માં વીતાવી બીજે દિવસે સવારે રોજીંદા સમય મુજબ ઊઠ્યા અને પોતાના નિત્ય કાર્યો પતાવી નાસ્તાના ટેબલ ઉપર બેઠા.
સરલાબેને બનાવેલ સ્વાદિષ્ટ અને ગરમાગરમ "વટાણા પૌવા" ખાવાની ઈચ્છા થઈ આવી પણ ગઈ કાલે સાંજે લીધેલો એક કઠોર નિર્ણય યાદ આવી ગયો, "આજે હું જ્યારે કોઈના પેટ પર લાત મારવા જઈ રહ્યો છું ત્યારે મારું પેટ ભરવા બેસું એટલો સ્વાર્થી કેમ બની ગયો"? પણ ધર્મપત્ની નિષ્ઠાને માન આપવા નાસ્તા બે- ચાર કોળિયા પેટમાં ઉતારી મનની મૂંઝવણ ને મનમાં જ ઠાલવીને તેઓ દુકાને જવા રવાના થઈ ગયા.
ગઇકાલના નિર્ણયના પ્રતિઘાતો સતત તેમના મસ્તક પર હથોડાની જેમ મારો કરી રહ્યાં હતા."બે વર્ષ પહેલા જ મારી સમગ્ર મૂડી લગાવીને કપડાનો આ શોરૂમ ખોલ્યો હતો પરંતુ સાત સાત મહિનાથી આવી પડેલા lockdown ના પ્રતાપે દુકાનમાં અડધોઅડધ માલ વેચાયા વગરનો પડી રહ્યો છે અને ગ્રાહકો આવતા અટકી ગયા છે, તો પણ "લેડીસ ડિપાર્ટમેન્ટની" બે યુવતીઓ અને જેન્સ ડિપાર્ટમેન્ટમાં બે યુવકો ને હું હજુ પોષી રહ્યો છું જે હવે દુષ્કર બની ગયું છે એટલે કરકસર કરવા અને દુકાનના ખર્ચાને પ્હોંચી વળવા હવે એકાદ માણસને નોકરીમાંથી પાણીચું આપવું જ પડશે.
પણ કોની નોકરી છોડાવવી? લેડીસ ડિપાર્ટમેન્ટની બંને યુવતીઓ અલકા અને સીમા ખૂબ જ ઈમાનદારીથી પોતાનું કામ સંભાળી રહ્યા છે, અને પાછું આખા દુકાનમાંથી વધુ વેચાણ તો લેડીસ ડિપાર્ટમેન્ટ નું જ રહ્યું છે અત્યાર સુધી, એટલે એમાંથી એક ને પણ કાઢવામાં દુકાન માટે હિત વાહક નથી.
તો જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા મનોજ અને વિનોદ પૈકી મનોજ ખૂબ જરૂરિયાત મંદ છે કારણકે એના નાના પરિવાર માટે આ એક જ વ્યક્તિ છે અને એનું ઘર માત્ર એના પગાર થકી જ ચાલે છે, એટલે એને નોકરીમાંથી રજા આપવાનું પાપ હું કદીએ ના કરી શકું, પણ હા, વિનોદ ના ઘરે તેનો મોટો ભાઈ છે જે સારું કમાય છે અને વિનોદ તો હજુ તરવરિયો જુવાન છે, ખૂબ હસમુખ અને ઉત્સાહી છે, વાચાળ પણ છે, અને એસ.એસ.સી સુધી ભણેલો છે એટલે એને બીજી નોકરી મેળવવામાં બહું તકલીફ નહીં વેઠવી પડે.
તો બસ હાલ પૂરતું વિનોદ નો જ હિસાબ કરી નાખું, બાકીના નું પછી જોઈએ આગળ શું કરવું તે". આમ સતત વિચારતા વિચારતા એવો દુકાને પહોંચી ગયા હતા. રોજિંદા ક્રમ પ્રમાણે દુકાન માં પૂજા વિધિ પતાવી પોતાના ગલ્લા પર જઈ બેઠા અને પાણીનો ગ્લાસ મોઢે માંડતા માંડતા તેમણે ચારેવ જણાને પોતાની પાસે બોલાવ્યા અને ગંભીર સ્વરે તેઓને સંબોધીને બોલ્યા, "જુઓ બચાઓ, આખા વેપાર જગતમાં છવાયેલી મંદી થી તમે લોકો અજાણ તો નથી જ અને આપણી દુકાન ની પરિસ્થિતિ થી પણ તમે બખૂબી વાકેફ તો છો જ.
આટઆટલો બધો માલ માથે પડ્યો છે અને દુકાનમાં ઘરાકી નથી થઈ રહી. વળી "ઓનલાઈન શોપિંગનો" વાયરો હવે આંધી બનીને બધા વેપારના પાયા હચમચાવી રહ્યા છે એટલે આપણી દુકાનને પણ બચાવવાનાં પ્રયાસ રૂપે મારે હાલ પૂરતું તમારામાંથી એક જણને છૂટો કરવો પડશે એનું મને દુઃખ છે, પણ મારી મજબૂરી ને પણ તમે સમજો." અને ચારેવ જણા દિગ્મૂઢ પહેરે અને ચિંતિત ભાવે એકબીજાની સામે જોવા લાગ્યા.
વધુ અચંબો અને અજંપો એમને અકળાવે એ પહેલાં વસંતલાલે જ ફોડ પાડી દીધો,"બેટા વિનોદ, મને માફ કરજે, પણ આજે તારો જ હિસાબ કરવો પડશે મારે." આખા દુકાનમાં એવો તો સોપો પડી ગયો કે જો એકાદ ટાંચણી પણ જમીન પર પડી હોત તો તેનો પણ અવાજ સંભળાયો હોત.
વસંતલાલ ના આવા નિષ્ઠુર નિર્ણયથી હચમચી જવા છતાંય હંમેશ મુજબ હસમુખ સ્વભાવના વિનોદે સસ્મિત ચહેરે આંખો નમાવીને પોતાની સ્વીકૃતિ આપી દીધી. વિનોદ માં એટલી તો પરિપકવતા હતી અને સમગ્ર પરિસ્થિતિથી એ પણ અજાણ નહીં હતો, એટલે પોતાના શેઠની લાચારીને અપનાવીને કોઈપણ જાતના પ્રતિકાર વગર એણે શરણાગતિ લઈ લીધી.
પણ તેના અન્ય ત્રણ સાથીદારો, ખાસ કરીને અલકાને કંઈક કહેવાની ઈચ્છા થઈ આવી એ પણ હિંમત બાંધી ન શકી એટલે ઈશારો કરીને સીમાને એણે જવાબદારી સોંપી દીધી. "સાહેબ, માફ કરજો પણ એક વાત કરી શકું છું આપને?" વીના સંકોચે સીમા એ જવાબદારી ઉપાડી લીધી. "હા બોલ ને બેટા, શું કહેવું છે તારે?"
હવે સીમાને અન્ય સાથીદારોએ પણ આંખના ઇશારે હિંમત પ્રદાન કરી તો સિમા આગળ વધી - "કોઈ એકને સંપૂર્ણપણે બહાર કાઢવા કરતા અમારા ચારેવ ના પગાર માં થોડો કાપ મુકી દો તો તમારી કરકસર કરવાની ગણતરી પણ જળવાઈ રહે અને અમને અમારો એક સાથી ગુમાવ્યાનો રંજ ન રહે". "એટલે કઈ રીતે?" વસંતલાલ થોડા મુંઝાયા. "સાહેબ", સીમા હવે વધુ સ્પષ્ટતા કરવા લાગી, "વિનોદ ના ભાઈ ની પણ નોકરી નથી રહી હવે, અને એની મમ્મી પણ હાલમાં બહુ બીમાર રહ્યા કરે છે તો. અમે એમ વિચારી રહ્યા છીએ કે"
હવે અલકા એ પણ હિંમત કરીને સીમા નો સાથ પુરાવ્યો, "હા સાહેબ, અમને હવેથી તમે અમારા પગાર પેટે ૧૨,૦૦૦/- રૂપિયા આપવા કરતા ૯૦૦૦/- આપશો તો પણ ચાલશે, તો એક જણના ત્રણ હજાર લેખે અમારા ચારે જણાના મળીને તમારા ૧૨૦૦૦/- રૂપિયા પણ બચી જશે અને વિનોદ ની નોકરી પણ સહી સલામત રહેશે.
હવે અલકા એ પણ હિંમત કરીને સીમા નો સાથ પુરાવ્યો, "હા સાહેબ, અમને હવેથી તમે અમારા પગાર પેટે ૧૨,૦૦૦/- રૂપિયા આપવા કરતા ૯૦૦૦/- આપશો તો પણ ચાલશે, તો એક જણના ત્રણ હજાર લેખે અમારા ચારે જણાના મળીને તમારા ૧૨૦૦૦/- રૂપિયા પણ બચી જશે અને વિનોદ ની નોકરી પણ સહી સલામત રહેશે.
"વસંતલાલ બે ક્ષણ માટે અવાક્ બનીને અલકાને અને સીમા ને નિરખતાં જ રહ્યા. પછી ચારેવ ને સંબોધી ને પૂછ્યું, "પણ તમને બધાને ઓછા પગારમાં કામ કરવું પરવડશે"?? "હા સાહેબ", હવે મનોજે મક્કમ સ્વરે ઉત્તર વાળ્યો, "સાહેબ અમારો એક સાથી સંપૂર્ણ ભૂખ્યો રહે એના કરતા અમે જ થોડું ઓછું જમીએ તો અમારા પેટને થોડો આરામ તો મળશે અને અમારા મનને પણ સંપૂર્ણ સંતોષ મળી રહેશે".
વસંતલાલ પાસે હવે કોઈ જ પ્રત્યુતર ન હતો. ફક્ત મનમાં એક વાતનો અફસોસ રહી ગયો કે કોઈ ભૂખ્યા ના ભેરુ થવા માટે ઉંમરની પરિપકવતા ની જરૂર નથી, પણ જરૂર છે પોતાના ભેરુ માટે ભૂખ્યા રહેવાના અચળ મનોબળનુ.
✒️- લેખક - શરદ મણિયાર (pune maharashtra)
"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!
Very impressive
ReplyDelete